ચોરસ – આ પ્રકારના પ્લોટ પર બનેલ મકાનમાં રહેતા લોકોને સુખ અને સમૃધ્ધિ પ્રાપ્ત થાય છે
લંબચોરસ – આ પ્રકારનુ ઘર ઘરમાલિકની આર્થિક ઉન્નતિમાં મદદરૂપ થાય છે.
અંડાકાર – આ પ્રકારની જમીન વેચવાથી બચવુ જોઈએ, આ જમીન પર બનેલ મકાનમાં રહેવાથી દુ:ખ અને અન્ય સમસ્યાનો સામનો કરવો પડે છે.
ગોળાકાર – સમૃધ્ધિમાં સતત વૃધ્ધિ ઈચ્છતા જાતકોએ આવો પ્લોટ નહી ખરીદવો જોઈએ, કારણ કે આમા રહેવાથી સમૃધ્ધિ ઓછી થઈ જાય છે.
અર્ઘગોળાકાર – આ જમીનનો ટુકડો મકાન માલિક અને તેમા રહેનારા લોકોને દુ:ખ આપે છે.
ધનુષાકાર – ધનુષાકાર પ્લોટ પર બનેલ મકાનમાં રહેતા જાતકોમાં ભય ઉત્પન્ન થાય છે.
સમાંતર સમચોરસ – આ પ્રકારની જમીન પસંદ ન કરવી જોઈએ. અશુભ પરિણામ આપનારી અને દુશ્મની ઉભી કરવાને કારણે તેમા રહેનાર રહેવાસી સુખપૂર્વક નથી રહી શકતો.
ગોમુખી – આ પ્રકારનો પ્લોટ રહેવા માટે શુભ છે પરંતુ વેપાર માટે અશુભ હોય છે.
સિંહમુખી – સિંહ મુખી પ્લોટ રહેવા માટે અશુભ છે પરંતુ વેપાર માટે શુભ હોય છે.